સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે બીજા તબક્કાનો ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભ સ્થળ પર જ પૂરા પાડવામાં આવ્યા હતા.
ધારાસભ્યએ આ પ્રસંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જોરાવરનગર કોમ્યુનિટી હોલ સહિત શહેરના 5 હોલનું રૂ. 50 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ શહેરના વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે, વઢવાણના વિકાસ માટે રૂ. 53 કરોડનો ખર્ચ કરાશે, જેમાં ગેબનશાપીર સુધીના નવા રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન પીએમ સ્વનિધિ યોજનાના ચેક અને પીએમ આવાસ યોજનાના પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 2500 થી વધુ ફેરિયાઓએ સ્વનિધિ યોજનાનો લાભ લીધો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…