સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી બદલાયેલા વાતાવરણ અને ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે રણના અગરિયાઓની કમર તોડી નાખી છે. ખારાઘોડા, નિમકનગર અને કુડા સહિતના વિસ્તારોમાં મીઠું પકવતા અગરિયાઓના જીવન નિર્વાહ પર મોટું સંકટ આવી પડ્યું છે.
રણમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે અનેક અગરિયાઓના ઝુંપડા ઉડી ગયા છે, જ્યારે પાણી ખેંચવા માટે વપરાતી કિંમતી સોલાર પેનલો ધરાશાયી થતા પ્રત્યેક અગરિયાને 20 થી 25 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
હાલ રણમાં મીઠું બહાર ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે જ વરસેલા વરસાદે મીઠાની ગુણવત્તા બગાડી નાખી છે. ભારે પવનને કારણે ઉડેલી રણની માટી તૈયાર મીઠાના અગરોમાં ભળી જતાં ઉત્પાદન ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગોપાલ સોલ્ટ લિમિટેડના માલિક અને અગરિયા અગ્રણી વિક્રમ રબારીએ સરકારને રજૂઆત કરી છે કે, કાળી મજૂરી કરીને મીઠું પકવતા આ પરિવારોની વ્હારે આવી તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનનું વળતર ચૂકવી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…