સુરેન્દ્રનગર જિલ્લામાં ગત રાત્રિથી બદલાયેલા વાતાવરણ અને ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે રણના અગરિયાઓની કમર તોડી નાખી છે. ખારાઘોડા, નિમકનગર અને કુડા સહિતના વિસ્તારોમાં મીઠું પકવતા અગરિયાઓના જીવન નિર્વાહ પર મોટું સંકટ આવી પડ્યું છે.
રણમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે અનેક અગરિયાઓના ઝુંપડા ઉડી ગયા છે, જ્યારે પાણી ખેંચવા માટે વપરાતી કિંમતી સોલાર પેનલો ધરાશાયી થતા પ્રત્યેક અગરિયાને 20 થી 25 હજાર રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
હાલ રણમાં મીઠું બહાર ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે જ વરસેલા વરસાદે મીઠાની ગુણવત્તા બગાડી નાખી છે. ભારે પવનને કારણે ઉડેલી રણની માટી તૈયાર મીઠાના અગરોમાં ભળી જતાં ઉત્પાદન ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગોપાલ સોલ્ટ લિમિટેડના માલિક અને અગરિયા અગ્રણી વિક્રમ રબારીએ સરકારને રજૂઆત કરી છે કે, કાળી મજૂરી કરીને મીઠું પકવતા આ પરિવારોની વ્હારે આવી તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનનું વળતર ચૂકવી વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…