સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી વધુ પેસેન્જરોની અવર-જવર ધરાવતા આ બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
હાલમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બપોરના સમયે બસ સ્ટેન્ડના 10 થી વધુ પંખાઓ બંધ રાખવામાં આવતા મુસાફરો શેકાઈ રહ્યા છે. એસ.ટી. વિભાગના અધિકારીઓની મનમાનીને કારણે નાના બાળકો અને વૃદ્ધોને ભારે બફારા વચ્ચે બસોની રાહ જોવી પડી રહી છે.
બસ સ્ટેન્ડમાં બેસવા માટે પૂરતા બાંકડા ન હોવાથી મજબૂર મુસાફરોને જમીન પર બેસવું પડે છે. આ ઉપરાંત, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો છે. પેસેન્જરોએ આક્ષેપ કર્યો છે કે બસ સ્ટેન્ડમાં લગાવેલું સમયપત્રક અત્યંત જૂનું છે, જેમાં દર્શાવેલા અનેક રૂટ હાલમાં બંધ હોવા છતાં તેને અપડેટ કરવામાં આવ્યું નથી. મુસાફરોએ માંગ કરી છે કે બપોરના સમયે પંખા ચાલુ રાખવામાં આવે, નવા બાંકડા મુકાય અને બસોનું ટાઈમ ટેબલ તાત્કાલિક અપડેટ કરવામાં આવે જેથી જનતાને હાલાકી ન ભોગવવી પડે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…