Surendranagar

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં મૂળી તાલુકાના ગઢડા ગામે વ્યાજખોરોના ત્રાસથી એક ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રેન્જ I.G. નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ વિશેષ ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના એ-ડિવિઝન, બી-ડિવિઝન, વઢવાણ, લખતર, જોરાવરનગર અને મૂળી એમ 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 100 થી વધુ પીડિતો ઉમટી પડ્યા હતા.

આ મેળાની ખાસિયત એ હતી કે પોલીસ માત્ર ફરિયાદ નોંધીને અટકી નથી, પરંતુ પીડિતોને વ્યાજખોરોની ચુંગાલમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે બેંકિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. કાર્યક્રમમાં SBI, ગુજરાત ગ્રામીણ બેંક અને યુનો બેંક જેવી વિવિધ સરકારી બેંકોના મેનેજરોને ખાસ તેડાવવામાં આવ્યા હતા. જે લોકો આર્થિક ભીંસમાં છે તેમને તાત્કાલિક ધોરણે બેંક લોન મળી રહે તે માટે પોલીસ વિભાગે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને આપવામાં આવતી ₹10,000 થી ₹50,000 સુધીની લોન પ્રક્રિયા પણ સ્થળ પર જ શરૂ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ અંતિમ પગલું ન ભરે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.” પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે જે વ્યાજખોરો નિર્દોષ લોકોને ધાક-ધમકી આપે છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મેળામાં ઉપસ્થિત પીઆઈ અને પીએસઆઈ સ્તરે લોકોની રજૂઆતો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ પહેલથી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સેંકડો પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago