સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયા નામના ખેડૂતે વ્યાજ માફિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા.
મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં વ્યાખોરો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા.
જમીન લખી આપી હોવા છતાં આ ત્રણ વ્યાજખોરોની લાલચ શાંત થઈ નહોતી. તેઓ સતત ખેડૂત પાસે વધારાના 3 લાખ રૂપિયાની માંગણી કરી છેલ્લા 15 દિવસથી ફોન પર ધમકીઓ આપતા હતા. આ પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસને કારણે આશાસ્પદ ખેડૂતે અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે મૂળી પોલીસે દેવાયતભાઈ રબારી (રહે. ગઢડા), કાળુભાઈ ભરવાડ અને દીલાભાઈ ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…