સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયા નામના ખેડૂતે વ્યાજ માફિયાઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા.
મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં વ્યાખોરો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા.
જમીન લખી આપી હોવા છતાં આ ત્રણ વ્યાજખોરોની લાલચ શાંત થઈ નહોતી. તેઓ સતત ખેડૂત પાસે વધારાના 3 લાખ રૂપિયાની માંગણી કરી છેલ્લા 15 દિવસથી ફોન પર ધમકીઓ આપતા હતા. આ પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસને કારણે આશાસ્પદ ખેડૂતે અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે મૂળી પોલીસે દેવાયતભાઈ રબારી (રહે. ગઢડા), કાળુભાઈ ભરવાડ અને દીલાભાઈ ભરવાડ (બંને રહે. સુરેન્દ્રનગર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…