Surendranagar

કચ્છના નાના રણમાં અગરિયાઓના નુકસાનીનો પ્રથમવાર સર્વે હાથ ધરાશે

નવી પેનલો મળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત રહેવાની ભીતિ મીઠાના નુકસાન મુદ્દે સરકારનું મૌન કચ્છના નાના રણમાં ૧૯મી માર્ચે ત્રાટકેલા વાવાઝોડાએ અગરિયાઓના જીવનમાં જે વંટોળ સર્જ્યો હતો, તેના નુકસાનની વિગતો મેળવવા સરકાર પ્રથમવખત સત્તાવાર સર્વે હાથ ધરવા જઈ રહી છે. જોકે, સરકાર દ્વારા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે હાથ ધરાશે. જેના કારણે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત રહેવાની ભીતિ સેવાઇ રહી છે. તેમજ મીઠાના નુકસાન મુદ્દે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા મીની વાવાઝોડા અને ભારે પવનને કારણે રણકાંઠાના અગરિયાઓને વ્યાપક આથક ફટકો પડયો છે. ખાસ કરીને રણમાં મીઠું પકવવા માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલો અને શ્રમિકોના ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારની રજૂઆત બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માત્ર સોલાર પેનલોના નુકસાનનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, જે અગરિયાઓને સરકારની સબસિડી હેઠળ સોલાર પેનલો ફાળવવામાં આવી હતી, તેવા અંદાજે ૧૪૦૦ અગરિયાઓના યુનિટોની જ તપાસ કરવામાં આવશે. આ સર્વે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં રજૂ કરાશે અને ત્યારબાદ જ નવી પેનલો આપવી કે મરામત કરવી તે અંગે નિર્ણય લેવાશે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે રણમાં કુલ ૨૫૦૦થી વધુ અગરિયાઓ કાર્યરત છે, જેમાંથી ૧૧૦૦ જેટલા અગરિયાઓ કે જેમણે પોતાની રીતે વ્યવસ્થા કરી છે, તેમના નુકસાનનો કોઈ સર્વે કરવામાં આવશે નહીં.

બીજી તરફ, વાવાઝોડા અને વરસાદને કારણે અગરિયાઓના પાટામાં માટી ભળી જતાં મીઠાની ગુણવત્તા બગડી છે અને લાખોનું મીઠું ધોવાઈ ગયું છે, પરંતુ તંત્ર દ્વારા મીઠાના નુકસાન અંગે કોઈ સર્વેની તજવીજ હાથ ધરવામાં આવી નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના બે અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી શરૃ કરવાની વાત વહેતી થતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અગરિયાઓનું માનવું છે કે આ સર્વે માત્ર કાગળ પરની કાર્યવાહી ન બની રહે અને ખરેખર નુકસાનનું વળતર મળે તે જરૃરી છે.

માવઠાથી ૫ લાખ ટન ઉત્પાદન ઘટવાની ભીતિ રણમાં જ્યારે મીઠું પકવવા માટે પ્રખર તડકાની જરૃર છે, ત્યારે જ ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાએ અગરિયાઓની મહેનત પર પાણી ફેરવ્યું છે. ભારે પવનને કારણે તૈયાર મીઠાના પાટામાં માટી ભળી જતાં મીઠું કાળું પડી ગયું છે, જેનાથી તેની ગુણવત્તા બગડી છે. આ વર્ષે ઉત્પાદનમાં અંદાજે ૫ લાખ ટનનો ઘટાડો થવાની શક્યતા છે. આથક પાયમાલીના આરે ઉભેલા અગરિયાઓએ હવે સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે.

અગરિયાઓ માટે રાહત પેકેજની માંગ ધ્રાંગધ્રા અને પાટડીના રણમાં ૪૨ ડિગ્રી તાપમાનમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા ૨૫૦૦થી વધુ અગરિયા પરિવારો પર વાવાઝોડા અને વરસાદે આફત આણી છે. તૈયાર મીઠાના પાક પર પાણી ફરી વળતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સમક્ષ નુકસાન વળતર પેકેજની માંગ કરી છે. ૧૦,૦૦૦થી વધુ લોકોના પરિવારના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થયો હોવાથી, સહાયની રકમ સીધી અગરિયાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી તેમણે આગ્રહભરી રજૂઆત કરી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago