સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી આગની ઘટનાઓને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ ફાયર વિભાગના બેડામાં અત્યાધુનિક સંસાધનોનો ઉમેરો કર્યો છે.
અગાઉ વિકરાળ આગ સમયે રાજકોટ કે મોરબીથી ફાયર ટીમો બોલાવવી પડતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મજબૂત કરવામાં આવી છે. પાલિકા દ્વારા 1.31 કરોડના ખર્ચે નવા હાઈ-ટેક ફાયર બ્રિગેડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ નવા ફાયર ફાઈટરની વિશેષતા એ છે કે તેમાં 12,000 લિટર પાણીના સંગ્રહની ક્ષમતા છે અને તે માત્ર 2 મિનિટમાં 6,000 લિટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ શકે છે. છેલ્લા 15 દિવસમાં મહાનગરપાલિકાએ કુલ 3.31 કરોડના ખર્ચે 3 નવા ફાયર બ્રિગેડ વસાવ્યા છે. આ વાહનોમાં હાઈ-પાવર એન્જિન હોવાથી તે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી પહોંચી આગ પર ત્વરિત કાબૂ મેળવી શકશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…