સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓની કમર તોડી નાખી છે.
રણમાં મીઠું પકવતા અંદાજે 5,000 થી વધુ અગરિયાઓના તૈયાર મીઠાના પાટામાં ધૂળ જામી જવાથી ક્વોલિટી બગડી છે, જ્યારે અનેક સોલાર પ્લેટો અને ઘરવખરી ઉડી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ કપરી પરિસ્થિતિની ગંભીરતા જોઈને પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારે મેદાનમાં આવી અગરિયાઓની વહારે ધાવા સરકારને અપીલ કરી છે.
ધારાસભ્ય પી.કે. પરમારે રણ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અગરિયાઓની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે અસરગ્રસ્ત અગરિયાઓ માટે કુલ 220 કરોડ રૂપિયાનું વિશેષ બજેટ જાહેર કરવામાં આવે.
વધુમાં, તેમણે પ્રત્યેક અગરિયા પરિવારને થયેલા નુકસાનના વળતર રૂપે 44,000 રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવા રજૂઆત કરી છે. વાવાઝોડાને કારણે એક અગરિયા દીઠ સરેરાશ 50,000 રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેના કારણે હાલ રણના રત્નોની હાલત અત્યંત કફોડી બની છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…