Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર: 1355 આંગણવાડીઓના તાળાબંધી, 2710 વર્કર બહેનોએ છાજીયા લઈ અને ગરબે ઘૂમી વિરોધ નોંધાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1,355 આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી 2,710 જેટલી મહિલા કર્મચારીઓ છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી છે.

આ આંદોલનના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં બહેનોએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ છાજીયા લીધા હતા અને ગરબે રમીને સરકારનું ધ્યાન ખેંચવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

આંગણવાડી વર્કર બહેનોની મુખ્ય 12 માંગણીઓમાં પગાર વધારો સૌથી મહત્વનો મુદ્દો છે. આંગણવાડી વર્કર યુનિયનના પ્રમુખ પ્રીતિબેન ચાવડાના જણાવ્યા અનુસાર, વર્ષ 2018 પછી સરકાર દ્વારા નવા મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી, છતાં 7 જેટલી અલગ-અલગ એપ્લિકેશનોમાં ઓનલાઈન કામગીરીનું દબાણ કરવામાં આવે છે.

બહેનોએ આક્ષેપ કર્યો છે કે તેમને પોતાના ખર્ચે મોબાઈલ ખરીદવા પડે છે અને મસાલાના બિલની ચુકવણી પણ સમયસર થતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગ્રેચ્યુઈટી અને પગાર વધારાનો લાભ ન મળતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ હડતાલને કારણે જિલ્લાના હજારો બાળકોના પોષણ અને શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. આંગણવાડીઓ બંધ હોવાથી બાળકોને મળતો પૌષ્ટિક આહાર અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અટકી પડ્યું છે. આ અંગે ICDS પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, બહેનોનું આવેદનપત્ર સરકારમાં ઉચ્ચ સ્તરે મોકલી આપવામાં આવ્યું છે.

આ પ્રશ્ન રાજ્ય કક્ષાનો હોવાથી સ્થાનિક સ્તરે કોઈ નિર્ણય લઈ શકાય તેમ નથી, પરંતુ ટૂંક સમયમાં સુખદ નિવેડો આવે તેવા પ્રયાસો ચાલુ છે. બીજી તરફ, આંગણવાડી વર્કરોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પગાર વધારાની માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago