સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એસ.પી. પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાગરિકોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે DYSP વી.એમ. રબારીના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના 8 જેટલા અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળીને સ્થળ પર જ યોગ્ય નિરાકરણ લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
DYSP વી.એમ. રબારીએ જણાવ્યું હતું કે, આ અરજી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયેલા પીડિત પરિવારોને બહાર કાઢવાનો અને શહેરમાંથી અસામાજિક તત્વોનો સફાયો કરવાનો છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સીધો પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવો. આ મેળામાં માત્ર કાયદાકીય મદદ જ નહીં, પરંતુ આર્થિક સહાયના માર્ગો પણ ખુલ્લા કરવામાં આવ્યા હતા. વિવિધ બેંકોના અધિકારીઓએ ઉપસ્થિત રહીને નાના વેપારીઓ અને અરજદારોને બેંક લોન વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોલીસ તંત્રની આ સક્રિયતાને કારણે સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. નાગરિકોને સરળ અને ઝડપી ન્યાય મળે તે દિશામાં આ અરજી મેળો એક પ્રશંસનીય પગલું સાબિત થયો છે. વ્યાજખોરો અને ગુંડા તત્વોથી ડર્યા વગર લોકો પોતાની ફરિયાદ રજૂ કરી શકે તે માટે પોલીસ સતત પ્રતિબદ્ધ છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…