સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે રહેતા 35 વર્ષીય ખેડૂત ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયાએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને પોતાના જ ખેતરમાં મોનોકોટા નામની ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મૃતક ગોપાલભાઈએ આર્થિક સંકળામણને કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી આશરે 35 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પર વ્યાજખોરો 10% થી 20% જેટલું અધધ વ્યાજ વસૂલતા હતા. મૃતકના ભાઈ વિપુલભાઈના જણાવ્યા અનુસાર, વ્યાજની પઠાણી ઉઘરાણી સામે ગોપાલભાઈએ પોતાની હિસ્સાની 7 વીઘા જમીન પણ વ્યાજખોરોના નામે લખી આપી હતી. તેમ છતાં, દિલીપસિંહ, ધીરુભાઈ, કાળુભાઈ, વિહાભાઈ અને દેવાયતભાઈ નામના શખ્સો સતત ફોન પર ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજારતા હતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા ખેડૂતે આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું.
આ ઘટના બાદ સુરેન્દ્રનગર પોલીસ હરકતમાં આવી છે. ASP વૈદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે આગામી 22 માર્ચના રોજ પોલીસ તાલીમ ભવન ખાતે વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીડિતો પોતાની અરજી આપી શકશે અને જરૂરિયાતમંદોને સરકારી બેંકો મારફતે લોન અપાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં પોલીસે પાંચેય વ્યાજખોરો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…