સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા હાઈવે પર વન્યજીવ અને વાહન વચ્ચે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. થાન-ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરની જગ્યા પાસેના વળાંક પર એક અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હતો.
આ અકસ્માત એટલો જોરદાર હતો કે દીપડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રોડ પર જ ફસડાઈ પડ્યો હતો. ત્યાંથી પસાર થતા જાગૃત વાહન ચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ચોટીલા અને થાન વન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દીપડો માદા જાતિનો છે અને તેની અંદાજિત ઉંમર 07 વર્ષ છે.
દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેના માટે રાજકોટ અને જૂનાગઢથી ખાસ વેટરનરી ડોક્ટરોની ટીમને તેડાવવામાં આવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટરની પ્રત્યક્ષ હાજરીમાં આ ઈજાગ્રસ્ત માદા દીપડાનું અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ દીપડાને પાંજરે પૂરીને વધુ સઘન સારવાર માટે જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તો ઓળંગતા હોય છે, ત્યારે આ અકસ્માતે વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. વન વિભાગ દ્વારા હાલ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વન્ય પ્રાણીઓના વિચરણને ધ્યાને રાખી વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…