Subscribe for notification
Categories: ChotilaThangadh

થાન-ચોટીલા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડો ઘાયલ: રેસ્ક્યુ કરી જૂનાગઢ ખસેડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા હાઈવે પર વન્યજીવ અને વાહન વચ્ચે અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. થાન-ચોટીલા રોડ પર આવેલા અવલીયા ઠાકરની જગ્યા પાસેના વળાંક પર એક અજાણ્યા વાહને દીપડાને અડફેટે લીધો હતો.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે દીપડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રોડ પર જ ફસડાઈ પડ્યો હતો. ત્યાંથી પસાર થતા જાગૃત વાહન ચાલકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ચોટીલા અને થાન વન વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દીપડો માદા જાતિનો છે અને તેની અંદાજિત ઉંમર 07 વર્ષ છે.

દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી, જેના માટે રાજકોટ અને જૂનાગઢથી ખાસ વેટરનરી ડોક્ટરોની ટીમને તેડાવવામાં આવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેકટરની પ્રત્યક્ષ હાજરીમાં આ ઈજાગ્રસ્ત માદા દીપડાનું અત્યંત સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ દીપડાને પાંજરે પૂરીને વધુ સઘન સારવાર માટે જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તો ઓળંગતા હોય છે, ત્યારે આ અકસ્માતે વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. વન વિભાગ દ્વારા હાલ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાઈવે પર વન્ય પ્રાણીઓના વિચરણને ધ્યાને રાખી વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago