Chotila

ચોટીલામાં 11 માર્ચથી બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ’નો પ્રારંભ

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 11 અને 12 માર્ચના રોજ ભવ્ય ‘ચોટીલા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળશે. આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે દરરોજ રાત્રે 8 કલાકે યોજાશે.

ઉત્સવના પ્રથમ દિવસે, એટલે કે 11 માર્ચના રોજ રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા રજૂ કરવામાં આવતો પ્રખ્યાત ‘હુડો રાસ’ પ્રેક્ષકોમાં આકર્ષણ જમાવશે.

ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના કલાકારોનું પાવરી નૃત્ય પણ આ દિવસની વિશેષતા રહેશે. પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી-ફોક ફ્યૂઝન મ્યુઝિક શો’ બની રહેશે, જે ઝવેરચંદ મેઘાણીની રચનાઓને આધુનિક શૈલીમાં રજૂ કરશે.

મહોત્સવના બીજા દિવસે, 12 માર્ચના રોજ વડોદરાના કલાકારો દ્વારા ફ્યૂઝન ગરબા અને જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફ રાસની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે જ ભરૂચના કલાકારો દ્વારા પ્રખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ દ્વારા ગુજરાતની અસ્મિતા અને લોકકલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને કલાપ્રેમીઓને ઉમટી પડવા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago