Surendranagar

લખતરમાં 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી છાપરા ઉડ્યા અને વૃક્ષો ધરાશાયી

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને લખતર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુરુવારે વહેલી સવારે પ્રતિ કલાક 50 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લખતર પંથકમાં ભારે નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે. લખતર-અમદાવાદ હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટના પતરા હવામાં ઉડીને રોડ પર પડતા વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. હાઈવે પર પસાર થતા ચાલકોએ ભારે પવનના કારણે વાહનો થંભાવી દેવાની નોબત આવી હતી.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે અનેક ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. રહેણાંક મકાનો અને નાના ગલ્લાઓના છાપરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. સદનસીબે આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે. લખતર શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ અને બોર્ડ જમીનદોસ્ત થયેલા જોવા મળ્યા હતા.

ખેતી ક્ષેત્રે પણ આ વાવાઝોડું આફત બનીને ત્રાટક્યું છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, ચણા અને જીરા જેવા રવિ પાકો ભારે પવન અને વરસાદને કારણે આડા પડી ગયા છે. ખેડૂતોએ વ્યક્ત કરેલી ભીતિ મુજબ, તૈયાર પાક લણણીના સમયે જ બગડતા મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વહેલી સવારના આ મિની વાવાઝોડાએ લખતરવાસીઓમાં ફાળ ફેલાવી દીધી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago