સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને લખતર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુરુવારે વહેલી સવારે પ્રતિ કલાક 50 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લખતર પંથકમાં ભારે નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે. લખતર-અમદાવાદ હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટના પતરા હવામાં ઉડીને રોડ પર પડતા વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. હાઈવે પર પસાર થતા ચાલકોએ ભારે પવનના કારણે વાહનો થંભાવી દેવાની નોબત આવી હતી.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે અનેક ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. રહેણાંક મકાનો અને નાના ગલ્લાઓના છાપરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. સદનસીબે આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે. લખતર શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ અને બોર્ડ જમીનદોસ્ત થયેલા જોવા મળ્યા હતા.
ખેતી ક્ષેત્રે પણ આ વાવાઝોડું આફત બનીને ત્રાટક્યું છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, ચણા અને જીરા જેવા રવિ પાકો ભારે પવન અને વરસાદને કારણે આડા પડી ગયા છે. ખેડૂતોએ વ્યક્ત કરેલી ભીતિ મુજબ, તૈયાર પાક લણણીના સમયે જ બગડતા મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વહેલી સવારના આ મિની વાવાઝોડાએ લખતરવાસીઓમાં ફાળ ફેલાવી દીધી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…