Patdi

પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર: APMCમાં કપાસ-એરંડા પલળતા લાખોનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને દસાડા તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ભારે પવન અને કમોસમી વરસાદ સાથે તારાજી સર્જી છે.

ખાસ કરીને ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 08 મહિનાની સખત મહેનત બાદ જ્યારે મીઠું રણમાંથી બહાર લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ આવેલા વાવાઝોડાને કારણે અગરિયાઓની સોલર પ્લેટો તૂટી ગઈ છે અને તૈયાર મીઠા પર માટીના થર જામી જતા લાખોનું નુકસાન થયું છે. પીડિત અગરિયાઓએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાયની માંગ કરી છે.

બીજી તરફ, પાટડી માર્કેટિંગ યાર્ડ (APMC) માં પણ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કપાસ અને એરંડાની જણસ અચાનક ત્રાટકેલા વરસાદમાં પલળી ગઈ હતી. વરસાદ શરૂ થતા જ વેપારીઓમાં પોતાની જણસ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, માલ સલામત સ્થળે ખસેડાય તે પહેલા જ મોટો જથ્થો પલળી જતા વેપારીઓને વ્યાપક આર્થિક ફટકો પડ્યો છે.

માત્ર રણ કે યાર્ડ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદને કારણે ખેતી અને વેપાર બંને ક્ષેત્રે પાયમાલી જોવા મળી રહી છે. રણમાં મીઠું પકવતા મજૂરો અને અગરિયાઓ માટે આ સીઝનનો સૌથી મોટો ફટકો સાબિત થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago