સુરેન્દ્રનગર (Surendranagar) શહેરને વર્ષ 2030 સુધીમાં રેબીસ ફ્રી (Rabies Free) બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદની એક્સપર્ટ એજન્સી ‘ગોલ ફાઉન્ડેશન’ (Goal Foundation) ના 12 સભ્યોની ટીમ દ્વારા શહેરમાં પ્રથમવાર રખડતા શ્વાનનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે (Survey) કરવામાં આવશે.
આ સર્વેમાં સોફ્ટવેર (Software) અને મોબાઈલ એપ (Mobile App)ની મદદથી દરેક શ્વાનનો ફોટો, રંગ, કદ, જાતિ (નર-માદા) અને શારીરિક તંદુરસ્તી જેવી વિગતોનો બાયોડેટા (Biodata) તૈયાર કરવામાં આવશે. જીઓ-મેપિંગ (Geo-mapping) દ્વારા કયા વિસ્તારમાં કેટલા શ્વાન છે તેની ચોક્કસ માહિતી ઓનલાઈન (Online) ઉપલબ્ધ થશે.
શહેરમાં દર મહિને સરેરાશ 425 જેટલા ડોગબાઇટ (Dog bite)ના કેસ નોંધાય છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ સર્વે પૂર્ણ થયા બાદ તમામ શ્વાનનું ખસીકરણ (Sterilization) કરવામાં આવશે. ખસીકરણ બાદ શ્વાનને 6 દિવસ સુધી ઓબ્ઝર્વેશન (Observation) હેઠળ રાખીને જે-તે વિસ્તારમાં પરત મુક્ત કરવામાં આવશે. મનપા દ્વારા નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…