ચોટીલા તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધ અને મૈત્રી કરારના મામલે પરિણીતા પર હુમલાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ ગામમાં ખેતીકામ કરતા પરિવારની મહિલાના લગ્ન 10 વર્ષ અગાઉ થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે.
અંદાજે 3 વર્ષ પહેલા પરિણીતાને પોતાના જ ગામના વિજય છગનભાઈ જોગરાજીયા નામના યુવક સાથે પરિચય થયો હતો, જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. આશરે 6 માસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા અને કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા.
જોકે, પોતાના બે પુત્રોનું ભવિષ્ય અને સમાજના વડીલોની સમજાવટને ધ્યાને રાખીને પરિણીતાએ આ મૈત્રી કરાર રદ કરવાનો નિર્ણય લીધો હતો. તે વિજય સાથેનો સંબંધ તોડીને ફરી પોતાના પતિ અને બાળકો સાથે રહેવા પરત આવી ગઈ હતી.
આ નિર્ણય વિજયને મંજૂર ન હોવાથી તેણે પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર પરિણીતાના ઘરે જઈ સંબંધ રાખવા દબાણ કરતો અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
ગત 1-3-2026ના રોજ વહેલી સવારે વિજયે પરિણીતા પાસે નાણાંની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા તેણે પતિ અને બાળકોને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરિણીતાએ પોલીસમાં અરજી કરતા વિજયના પરિવારના સભ્યો છગન ગોવિંદભાઈ, ચોથા ગોવિંદભાઈ અને ગોપાલ ચોથાભાઈ લાકડી અને છરી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. સતત મળતી ધમકીઓ અને જીવના જોખમને કારણે પરિણીતાએ અંતે 12મી માર્ચના રોજ ચારેય શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ એ.બી. ભુંસડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…