Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે રેકોર્ડબ્રેક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જિલ્લાના 578 ગામોમાંથી માટીના નમૂના એકત્ર કરીને અત્યાર સુધીમાં સર્વાધિક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.

ગત વર્ષની સરખામણીએ આ આંકડામાં 8,000નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા પર અસર થઈ રહી છે, ત્યારે ખેડૂતોને તેમની જમીનમાં રહેલા પોષક તત્વોની ચોક્કસ માહિતી મળી રહે તે હેતુથી આ કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે.

જમીન ચકાસણી પ્રયોગશાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાના જણાવ્યા અનુસાર, ખેતરમાં 15 સેમીનો ખાડો કરી માટીના નમૂના લેવામાં આવે છે. આ હેલ્થ કાર્ડ જમીન માટે ‘એક્સ-રે’ સમાન કાર્ય કરે છે, જેમાં 12 જેટલા મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો તેમજ PH લેવલની વિગતો હોય છે. તેના આધારે ખેડૂતોને કયું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેની સચોટ વૈજ્ઞાનિક ભલામણ મળે છે.

તાલુકો નમૂનાઓની સંખ્યા
દસાડા 3,115
ચોટીલા 2,905
સાયલા 2,485
ધ્રાંગધ્રા 2,275
લીંબડી 2,100
મુળી 1,890
વઢવાણ 1680
લખતર 1505
ચુડા 1260
થાનગઢ 1015

ખેડૂતોના જણાવ્યા મુજબ, સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખેતી કરવાથી ખાતરના બિનજરૂરી વપરાશમાં 8% થી 10% નો ઘટાડો થયો છે. સામે પક્ષે વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે પાક ઉત્પાદનમાં 10% થી 20% સુધીનો વધારો શક્ય બન્યો છે. આમ, સમતોલ ખાતર વ્યવસ્થાપનથી ખેતી ખર્ચ ઘટતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago