સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કૃષિ વિભાગ દ્વારા આ વર્ષે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જિલ્લાના 578 ગામોમાંથી માટીના નમૂના એકત્ર કરીને અત્યાર સુધીમાં સર્વાધિક 20,230 સોઈલ હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ આંકડામાં 8,000નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા પર અસર થઈ રહી છે, ત્યારે ખેડૂતોને તેમની જમીનમાં રહેલા પોષક તત્વોની ચોક્કસ માહિતી મળી રહે તે હેતુથી આ કામગીરી 100% પૂર્ણ કરવામાં આવી છે.
જમીન ચકાસણી પ્રયોગશાળાના લેબ અધિકારી મુસ્તુફા વેકરીયાના જણાવ્યા અનુસાર, ખેતરમાં 15 સેમીનો ખાડો કરી માટીના નમૂના લેવામાં આવે છે. આ હેલ્થ કાર્ડ જમીન માટે ‘એક્સ-રે’ સમાન કાર્ય કરે છે, જેમાં 12 જેટલા મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો તેમજ PH લેવલની વિગતો હોય છે. તેના આધારે ખેડૂતોને કયું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેની સચોટ વૈજ્ઞાનિક ભલામણ મળે છે.
| તાલુકો | નમૂનાઓની સંખ્યા |
| દસાડા | 3,115 |
| ચોટીલા | 2,905 |
| સાયલા | 2,485 |
| ધ્રાંગધ્રા | 2,275 |
| લીંબડી | 2,100 |
| મુળી | 1,890 |
| વઢવાણ | 1680 |
| લખતર | 1505 |
| ચુડા | 1260 |
| થાનગઢ | 1015 |
ખેડૂતોના જણાવ્યા મુજબ, સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખેતી કરવાથી ખાતરના બિનજરૂરી વપરાશમાં 8% થી 10% નો ઘટાડો થયો છે. સામે પક્ષે વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે પાક ઉત્પાદનમાં 10% થી 20% સુધીનો વધારો શક્ય બન્યો છે. આમ, સમતોલ ખાતર વ્યવસ્થાપનથી ખેતી ખર્ચ ઘટતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…