Lakhtar

લખતરના ઘણાદમાં ખેડૂતોની મહાગર્જના: ઘૂડખરના ત્રાસ સામે 25 માર્ચે યોજાશે ‘મહા ખેડૂત સંમેલન’

લખતર તાલુકાના ઘણાદ ગામમાં ઘૂડખરના વધતા આતંક અને તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે 8 વાગ્યે ગામના ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઘૂડખર દ્વારા પાકને કરવામાં આવતા ભારે નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે હવે આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સોશિયલ મીડિયા પર પણ ખેડૂતોનો આક્રોશ વહેતો થયો છે. “દિવસે મહેનત, રાત્રે ઉજાગરા તોય છોકરા ભૂખ્યાં” જેવી સંવેદનશીલ પોસ્ટ્સ ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઈ રહી છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે “ઘૂડખરના આતંકથી ખેડૂતો બેહાલ છે, તો તંત્ર હજુ મૌન કેમ?”. આ નિષ્ક્રિયતા સામે લડત આપવા માટે ખેડૂતોએ આક્રમક રણનીતિ તૈયાર કરી છે.

ખેડૂત આગેવાન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઘૂડખરના પ્રશ્ને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 25 માર્ચના રોજ ઘણાદ ગામમાં જિલ્લાભરના ખેડૂતોને એકઠા કરી એક ભવ્ય ‘બિનરાજકીય મહાખેડૂત સંમેલન’ યોજવામાં આવશે.

આ સંમેલન દ્વારા સરકાર અને તંત્ર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં આ સંમેલનના આયોજન અને જનજાગૃતિ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago