Lakhtar

લખતરના ઘણાદમાં ખેડૂતોની મહાગર્જના: ઘૂડખરના ત્રાસ સામે 25 માર્ચે યોજાશે ‘મહા ખેડૂત સંમેલન’

લખતર તાલુકાના ઘણાદ ગામમાં ઘૂડખરના વધતા આતંક અને તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે 8 વાગ્યે ગામના ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઘૂડખર દ્વારા પાકને કરવામાં આવતા ભારે નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે હવે આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સોશિયલ મીડિયા પર પણ ખેડૂતોનો આક્રોશ વહેતો થયો છે. “દિવસે મહેનત, રાત્રે ઉજાગરા તોય છોકરા ભૂખ્યાં” જેવી સંવેદનશીલ પોસ્ટ્સ ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઈ રહી છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે “ઘૂડખરના આતંકથી ખેડૂતો બેહાલ છે, તો તંત્ર હજુ મૌન કેમ?”. આ નિષ્ક્રિયતા સામે લડત આપવા માટે ખેડૂતોએ આક્રમક રણનીતિ તૈયાર કરી છે.

ખેડૂત આગેવાન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઘૂડખરના પ્રશ્ને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 25 માર્ચના રોજ ઘણાદ ગામમાં જિલ્લાભરના ખેડૂતોને એકઠા કરી એક ભવ્ય ‘બિનરાજકીય મહાખેડૂત સંમેલન’ યોજવામાં આવશે.

આ સંમેલન દ્વારા સરકાર અને તંત્ર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં આ સંમેલનના આયોજન અને જનજાગૃતિ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago