Subscribe for notification
Categories: Surendranagar

જોરાવનગરમાં છેલ્લી ઘડીએ સેવા સેતુ કાર્યક્રમ રદ થતા અરજદારો રજડી પડ્યા, જાણો હવે ક્યારે યોજાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, જોરાવનગર ખાતેના કોમ્યુનિટી હોલમાં યોજાનાર બીજા તબક્કાનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ છોડીને ભાડું ખર્ચીને અહીં પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓની ગેરહાજરી અને કાર્યક્રમ રદ હોવાની જાણ થતા તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

તંત્ર દ્વારા આ અચાનક ફેરફાર પાછળ પૂરતો સ્ટાફ ન હોવાનું અને વહીવટી તૈયારીઓના અભાવનું કારણ જણાવવામાં આવ્યું છે. આ અંગે ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે આ સેવા સેતુ કાર્યક્રમ આગામી 20 માર્ચના રોજ તે જ સ્થળે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડની કામગીરી, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર સહાય, આવકના દાખલા અને 7/12 ના ઉતારા જેવી મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તંત્રની આ લાપરવાહીને કારણે સેંકડો લોકોના સમય અને નાણાંનો વ્યય થયો છે, જેની સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago