સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર સાડીની સામેના ખાંચામાં આવેલી આ બિલ્ડિંગ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે તે પત્તાના મહેલની જેમ ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ માર્ગ પરથી દરરોજ 1000થી વધુ લોકો પસાર થાય છે, જેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશ રેખાબેન અને અન્ય વેપારીઓના જણાવ્યા અનુસાર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલ ઉનાળાની સિઝન છે, પરંતુ ચોમાસામાં વરસાદી પવનના કારણે આ ઇમારત ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ બિલ્ડિંગ સમયસર ઉતારી લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા તાત્કાલિક સર્વે કરી, માલિકને નોટિસ ફટકારે અને આ જોખમી બાંધકામ દૂર કરે. તંત્રની નિષ્ફળતાને કારણે હાલ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…