સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર સાડીની સામેના ખાંચામાં આવેલી આ બિલ્ડિંગ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે તે પત્તાના મહેલની જેમ ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ માર્ગ પરથી દરરોજ 1000થી વધુ લોકો પસાર થાય છે, જેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશ રેખાબેન અને અન્ય વેપારીઓના જણાવ્યા અનુસાર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલ ઉનાળાની સિઝન છે, પરંતુ ચોમાસામાં વરસાદી પવનના કારણે આ ઇમારત ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ બિલ્ડિંગ સમયસર ઉતારી લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા તાત્કાલિક સર્વે કરી, માલિકને નોટિસ ફટકારે અને આ જોખમી બાંધકામ દૂર કરે. તંત્રની નિષ્ફળતાને કારણે હાલ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…