સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રતનપરમાં રહેતા સમીરભાઈ ઇસુબભાઈ જેડા જ્યારે પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળ્યા, ત્યારે સોયબભાઈ નામનો શખ્સ ગાળો બોલી રહ્યો હતો. સમીરભાઈએ તેને ગાળો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યો હતો.
આ સામાન્ય બોલાચાલી બાદ રમજાનભાઈ રફીકભાઈ, રફીકભાઈ અબ્દુલભાઈ, મુમતાજબેન અને રુકશાનાબેન સહિતના વ્યક્તિઓએ એકસંપ થઈ સમીરભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે ભોગ બનનાર સમીરભાઈએ બે મહિલાઓ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…