રાજકોટ રેન્જ આઈજી તરીકે નિરલિપ્ત રાયે કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કડક અને રચનાત્મક પગલાં ભરવાની શરૂઆત કરી છે. રેન્જ આઈજીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કર્યા બાદ લાંબા સમય સુધી તેનો ન્યાય ન મળતો હોય કે તપાસ અટકી પડી હોય તેવી ફરિયાદોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. 13 માર્ચથી જિલ્લાના 10 પોલીસ સ્ટેશનોમાં લોકદરબાર થકી આ મેળો યોજાશે, જેનો મુખ્ય હેતુ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરી પીડિતોને ઝડપી ન્યાય અપાવવાનો છે.
આ મુહિમ અંતર્ગત સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા અને પાટડી ડિવિઝનના ડીવાયએસપીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, જો કોઈ પરિવાર વ્યાજખોરોના ત્રાસથી પીડાતું હોય, કોઈના દબાણ હેઠળ જીવતું હોય અથવા કોઈ માથાભારે તત્વો ધમકાવતા હોય, તો તેવા લોકો નીડર બનીને આ મેળામાં અરજી કરી શકશે. અગાઉની જે અરજીઓ પર કાર્યવાહી થઈ નથી તેને ફરી ‘રી-ઓપન’ કરી નવેસરથી તપાસ કરવામાં આવશે. આ પહેલથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને ભયમુક્ત વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…