Categories: Uncategorized

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

રાજકોટ રેન્જ આઈજી તરીકે નિરલિપ્ત રાયે કાર્યભાર સંભાળ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે કડક અને રચનાત્મક પગલાં ભરવાની શરૂઆત કરી છે. રેન્જ આઈજીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કર્યા બાદ લાંબા સમય સુધી તેનો ન્યાય ન મળતો હોય કે તપાસ અટકી પડી હોય તેવી ફરિયાદોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. 13 માર્ચથી જિલ્લાના 10 પોલીસ સ્ટેશનોમાં લોકદરબાર થકી આ મેળો યોજાશે, જેનો મુખ્ય હેતુ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરી પીડિતોને ઝડપી ન્યાય અપાવવાનો છે.

આ મુહિમ અંતર્ગત સુરેન્દ્રનગર, લીંબડી, ચોટીલા અને પાટડી ડિવિઝનના ડીવાયએસપીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, જો કોઈ પરિવાર વ્યાજખોરોના ત્રાસથી પીડાતું હોય, કોઈના દબાણ હેઠળ જીવતું હોય અથવા કોઈ માથાભારે તત્વો ધમકાવતા હોય, તો તેવા લોકો નીડર બનીને આ મેળામાં અરજી કરી શકશે. અગાઉની જે અરજીઓ પર કાર્યવાહી થઈ નથી તેને ફરી ‘રી-ઓપન’ કરી નવેસરથી તપાસ કરવામાં આવશે. આ પહેલથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને ભયમુક્ત વાતાવરણ ઊભું થાય તેવા પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago