સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે અનાજની કાળાબજારી રોકવા મોટી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે વઢવાણ-લખતર રોડ પર યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે આકસ્મિક ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ લેલન પીકઅપ ગાડી (GJ03BW7406) ને અટકાવી હતી.
વાહનની તપાસ કરતા તેમાંથી કોઈપણ આધાર-પુરાવા વિનાનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનચાલક પાસ-પરમિટ કે બિલ રજૂ ન કરી શકતા, પુરવઠા વિભાગે 2311 કિલોગ્રામ (46 કટ્ટા) ચોખાનો જથ્થો સીઝ કર્યો હતો. આ કાર્યવાહીમાં 62,411 રૂપિયાની કિંમતના ચોખા અને 4 લાખની કિંમતનું વાહન મળી કુલ 4,62,411 રૂપિયાનો મુદ્દામાલ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…