સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઇંધણ અને ગેસના જથ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તમામ સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હાલમાં ડોમેસ્ટિક LPG એટલે કે ઘરવપરાશના ગેસ સિલિન્ડરના વિતરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ ગેસ એજન્સીઓને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ નિયમિત સ્ટોક જાળવી રાખે અને ગ્રાહકોને સમયસર વિતરણ કરે. ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ગેસ રિફિલિંગ માટેના 25 દિવસના નિયત સમયગાળાનું પાલન કરે. બિનજરૂરી ‘પેનિક બુકિંગ’ કરવાથી વિતરણ વ્યવસ્થા પર ખોટું દબાણ સર્જાય છે, જે ટાળવું અનિવાર્ય છે.
બીજી તરફ, પુરવઠા વિભાગની ટીમો દ્વારા સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગેસ એજન્સીઓ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ એજન્સી ધારકોને કડક સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં કૃત્રિમ અછત ઊભી ન થવી જોઈએ કે કાળાબજારી થવી જોઈએ નહીં.
હાલમાં ગેસ નોંધણી માટે સર્વરની સમસ્યાને કારણે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ તંત્રએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ ટેકનિકલ સમસ્યાનો નિવેડો આવી જશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર અને તેમની ટીમ સક્રિય છે. જો કોઈ પણ સ્તરે સંગ્રહખોરી કે ગેરકાયદે પ્રવૃત્તિ જણાશે, તો ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…