સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઇંધણ અને ગેસના જથ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તમામ સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હાલમાં ડોમેસ્ટિક LPG એટલે કે ઘરવપરાશના ગેસ સિલિન્ડરના વિતરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ ગેસ એજન્સીઓને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ નિયમિત સ્ટોક જાળવી રાખે અને ગ્રાહકોને સમયસર વિતરણ કરે. ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ગેસ રિફિલિંગ માટેના 25 દિવસના નિયત સમયગાળાનું પાલન કરે. બિનજરૂરી ‘પેનિક બુકિંગ’ કરવાથી વિતરણ વ્યવસ્થા પર ખોટું દબાણ સર્જાય છે, જે ટાળવું અનિવાર્ય છે.
બીજી તરફ, પુરવઠા વિભાગની ટીમો દ્વારા સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગેસ એજન્સીઓ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ એજન્સી ધારકોને કડક સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં કૃત્રિમ અછત ઊભી ન થવી જોઈએ કે કાળાબજારી થવી જોઈએ નહીં.
હાલમાં ગેસ નોંધણી માટે સર્વરની સમસ્યાને કારણે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ તંત્રએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ ટેકનિકલ સમસ્યાનો નિવેડો આવી જશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર અને તેમની ટીમ સક્રિય છે. જો કોઈ પણ સ્તરે સંગ્રહખોરી કે ગેરકાયદે પ્રવૃત્તિ જણાશે, તો ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…