ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં ભવ્ય પ્રારંભ થયો છે. પાંચાળની પાવન ધરા પર ભક્તિ અને લોક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જન્મભૂમિ પર જ વિશેષ સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકસહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
કલેક્ટર કે.એસ. યાશિક અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવમાં ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો મુખ્ય આકર્ષણ રહ્યો હતો. રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત આ શોમાં મેઘાણીજીની અમર રચનાઓને આધુનિક શૈલીમાં રજૂ કરી નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, પાંચાળનો હુડો રાસ, લાવણી નૃત્ય અને ડાંગના પાવરી નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગુજરાતની કલા-સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…