Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના પુરવઠાને લઈને સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઇંધણ અને ગેસના જથ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં તમામ સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હાલમાં ડોમેસ્ટિક LPG એટલે કે ઘરવપરાશના ગેસ સિલિન્ડરના વિતરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ ગેસ એજન્સીઓને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ નિયમિત સ્ટોક જાળવી રાખે અને ગ્રાહકોને સમયસર વિતરણ કરે. ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ ગેસ રિફિલિંગ માટેના 25 દિવસના નિયત સમયગાળાનું પાલન કરે. બિનજરૂરી ‘પેનિક બુકિંગ’ કરવાથી વિતરણ વ્યવસ્થા પર ખોટું દબાણ સર્જાય છે, જે ટાળવું અનિવાર્ય છે.

બીજી તરફ, પુરવઠા વિભાગની ટીમો દ્વારા સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ગેસ એજન્સીઓ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ એજન્સી ધારકોને કડક સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં કૃત્રિમ અછત ઊભી ન થવી જોઈએ કે કાળાબજારી થવી જોઈએ નહીં.

હાલમાં ગેસ નોંધણી માટે સર્વરની સમસ્યાને કારણે કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ તંત્રએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ ટેકનિકલ સમસ્યાનો નિવેડો આવી જશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર અને તેમની ટીમ સક્રિય છે. જો કોઈ પણ સ્તરે સંગ્રહખોરી કે ગેરકાયદે પ્રવૃત્તિ જણાશે, તો ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને વહીવટી તંત્રને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago