સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત નવા રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મહાનગરમાં ભળેલા નવા 5 ગામો સાથે અન્યાય થયો હોવાની બૂમ ઉઠી છે. કુલ 18.45 કરોડ રૂપિયાના ખર્ચે 15 જેટલા નવા રસ્તાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ તેમાંથી સિંહફાળો સુરેન્દ્રનગરના મુખ્ય શહેરી વિસ્તારોને ફાળવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની રચના વખતે વઢવાણ સહિત માળોદ, ખમીસણા, મૂળચંદ અને ખેરાળી જેવા ગામોને વિકાસની આશાએ ભેળવી દેવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આશ્ચર્યની વાત એ છે કે, શહેરી વિસ્તારના 11 વોર્ડ માટે 16.95 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવાઈ છે, જ્યારે તેની સામે વઢવાણ અને તેની સાથે ભળેલા ગ્રામીણ વિસ્તારો પાછળ માત્ર 2.50 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવાનું આયોજન કરાયું છે.
ગામડાઓના વિકાસ માટે આશાસ્પદ રહેલા નાગરિકો હવે નિરાશા અનુભવી રહ્યા છે, કારણ કે નવી મંજૂરીમાં એક પણ ગ્રામીણ વિસ્તારમાં નવા રોડ બનાવવાનું આયોજન નથી. પાલિકાના અધિકારીઓ વઢવાણ પ્રત્યે રાગદ્વેષ રાખી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. મનપાના 13 વોર્ડમાં જે રકમની ફાળવણી થઈ છે, તેમાં વોર્ડ નંબર 08 અને 09 જેવા વિસ્તારોને 2.00 કરોડ સુધીની ગ્રાન્ટ મળી છે, જ્યારે વઢવાણ અને નવનિયુક્ત ગામોને અવગણવામાં આવ્યા છે. આ આર્થિક અસમાનતાને લીધે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બજેટ અને ટેન્ડર પ્રક્રિયામાં વઢવાણના વિકાસને રુંધવામાં આવતો હોવાના આક્ષેપ સાથે હવે ઉગ્ર રજૂઆતો થઈ રહી છે.
વોર્ડ વાઇઝ ફાળવવામાં આવેલી રકમની વિગત:
વોર્ડ નંબર કુલ રકમ (કરોડમાં) 01 1.75 02 1.22 03 1.85 04 1.35 05 1.30 06 1.66 07 0.90 08 2.00 09 2.00 10 1.50 11 0.42 12 1.00 13 1.50
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…