સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે અનાજની કાળાબજારી રોકવા મોટી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે વઢવાણ-લખતર રોડ પર યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે આકસ્મિક ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ લેલન પીકઅપ ગાડી (GJ03BW7406) ને અટકાવી હતી.
વાહનની તપાસ કરતા તેમાંથી કોઈપણ આધાર-પુરાવા વિનાનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનચાલક પાસ-પરમિટ કે બિલ રજૂ ન કરી શકતા, પુરવઠા વિભાગે 2311 કિલોગ્રામ (46 કટ્ટા) ચોખાનો જથ્થો સીઝ કર્યો હતો. આ કાર્યવાહીમાં 62,411 રૂપિયાની કિંમતના ચોખા અને 4 લાખની કિંમતનું વાહન મળી કુલ 4,62,411 રૂપિયાનો મુદ્દામાલ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…