સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે અનાજની કાળાબજારી રોકવા મોટી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે વઢવાણ-લખતર રોડ પર યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે આકસ્મિક ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ લેલન પીકઅપ ગાડી (GJ03BW7406) ને અટકાવી હતી.
વાહનની તપાસ કરતા તેમાંથી કોઈપણ આધાર-પુરાવા વિનાનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનચાલક પાસ-પરમિટ કે બિલ રજૂ ન કરી શકતા, પુરવઠા વિભાગે 2311 કિલોગ્રામ (46 કટ્ટા) ચોખાનો જથ્થો સીઝ કર્યો હતો. આ કાર્યવાહીમાં 62,411 રૂપિયાની કિંમતના ચોખા અને 4 લાખની કિંમતનું વાહન મળી કુલ 4,62,411 રૂપિયાનો મુદ્દામાલ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…