Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર મનપામાં 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરાની વસૂલાત કરાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 ના અંતિમ દિવસોમાં વેરા વસૂલાતની કામગીરીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ, 2026 સુધી તમામ શનિ-રવિ અને જાહેર રજાના દિવસો દરમિયાન પણ મહાનગરપાલિકાના વેરા વસૂલાત કેન્દ્રો કાર્યરત રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને પોતાના બાકી મિલકત વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરો ભરવામાં સરળતા રહે તેવો છે. રજાના દિવસોમાં પણ સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તમામ ઝોનલ કચેરીઓ પર વેરો સ્વીકારવામાં આવશે. શહેરીજનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ઉપરાંત ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને જોરાવરનગર લાઈબ્રેરી ખાતે આવેલા કેન્દ્રો પર જઈને વેરો ભરી શકશે. જે નાગરિકો કચેરીએ રૂબરૂ જઈ શકતા નથી, તેમના માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે. https://app.snmcgujarat.com પોર્ટલ પરથી કોઈપણ સમયે ઘરે બેઠા ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકાશે. મહાનગરપાલિકા દ્વારા આ બાબતે ખાસ તાકીદ કરવામાં આવી છે કે જેથી છેલ્લી ઘડીની ભીડથી બચી શકાય. તંત્ર દ્વારા આ વખતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો 31 માર્ચ 2026 સુધીમાં બાકી લેણાંની ભરપાઈ કરવામાં નહીં આવે, તો સંબંધિત મિલકત ધારકો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી વેરા વસૂલાતની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. શહેરીજનોને અપીલ છે કે કાયદેસરની કડક કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાના વેરા ભરીને શહેરના વિકાસમાં સહભાગી બને.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago