Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના પ્રશ્ને CMOની ટીમનું ચેકિંગ

  • શહેરમાં સીએમઓની ટીમે ૨૨ સ્થળોએ તપાસ કરી
  • સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ
  • આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ
સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમનું ચેકિંગ હાથ ધરાયું હતું. સીએમ પોર્ટલ પર થયેલી ફરિયાદ મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમે ૨૨ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગાંધીનગરની ટીમના ચેકિંગ બાદ આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન વિભાગની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં આવી છે. સફાઈ પાછળ કરોડો રૃપિયાના ધુમાડા કરવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા, ત્રસ્ત નાગરિકોએ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પોર્ટલ મારફતે રજૂઆતો કરી હતી. આ ફરિયાદોની ગંભીરતાને ધ્યાને લઈ, સીએમઓ દ્વારા મોકલવામાં આવેલી વિશેષ તપાસ ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના ૨૨ જેટલા એવા સ્થળો છે જ્યાં વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્રએ સફાઈ કામગીરી કરી ન હતી.
રાત્રિ સફાઈ અને દિવસની કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ તપાસવા માટે ગાંધીનગરથી આવેલી ટીમોએ સીધું જ ઓન-ધ-સ્પોટ ચેકિંગ શરૃ કર્યું છે. આ કાર્યવાહીને પગલે વર્ષોથી ભ્ર્રષ્ટાચાર અને બેદરકારીમાં ખૂંપેલા સેનિટેશન વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સેનિટેશન વિભાગમાં ભ્રષ્ટાચારની રાવ પહેલાથી જ હતી, ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દખલગીરી બાદ પાલિકાના વહીવટમાં મોટા ઉલટફેર થવાની શક્યતાઓ છે. જો તપાસમાં ક્ષતિઓ જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે આ ઉચ્ચસ્તરીય તપાસ બાદ સુરેન્દ્રનગરને ગંદકીના પ્રશ્નમાંથી કાયમી છુટકારો મળશે.
user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

11 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago