સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિશેષ સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આધુનિક સાધનોની મદદથી દિવ્યાંગોની ગતિશીલતા વધશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓએ દિવ્યાંગોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાધનો મળવાથી દિવ્યાંગો હવે શિક્ષણ અને રોજગાર મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે. સાધન મેળવ્યા બાદ લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો. આ પહેલથી દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…