સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિશેષ સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આધુનિક સાધનોની મદદથી દિવ્યાંગોની ગતિશીલતા વધશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓએ દિવ્યાંગોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાધનો મળવાથી દિવ્યાંગો હવે શિક્ષણ અને રોજગાર મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે. સાધન મેળવ્યા બાદ લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો. આ પહેલથી દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…