સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભારે પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. કુદરતના માર સામે ફરી એકવાર જગતનો તાત લાચાર જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરિયાળીનો પાક પવનના કારણે આડો પડી ગયો છે અને છોડ તૂટી જવાથી વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત, ચણાના પાકને પણ ભારે અસર પહોંચી છે; ખેતરોમાં રાખેલા ચણાના પાથરા પવનમાં ઉડી ગયા છે અને પોપટા ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
માત્ર વરિયાળી કે ચણા જ નહીં, પરંતુ અજમા અને જીરાના પાક પર પણ પવનની ગંભીર અસરો જોવા મળી છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં સુરેન્દ્રનગરના ખેડૂતો દેવાદાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. મહિનાઓની સખત મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. પાયમાલ થયેલા ખેડૂતોએ હવે પોતાની આજીવિકા બચાવવા માટે સરકાર સામે મદદની પોકાર લગાવી છે અને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…