ધ્રાંગધ્રામાં આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આજરોજ શહેર પ્રભારી જિજ્ઞાશાબેન નાયક અને રમિલાબેન મકવાણાની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર ભાજપ કારોબારીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ અને મહામંત્રી રાજદીપકસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ સંગઠનની શક્તિ અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પક્ષમાં વિશેષ જવાબદારી સંભાળનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મકરાણી, પાટડી પ્રભારી જીતુભાઈ ચૌહાણ, મૂળી પ્રભારી કિરીટસિંહ જાડેજા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનું અભિવાદન કરાયું હતું. શક્તિ કેન્દ્રના સંયોજકો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકે કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે, જ્યાં સૌએ આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…