સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ વિસ્તારમાં વિકાસના કામો ન થતા રહીશોએ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
પૌરાણિક ગણપતિ મંદિર પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાથી નબળું કામ કરનાર એજન્સી સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ડ્રેનેજ અને ભૂગર્ભ ગટરની સુવિધામાં સુધારો નહીં કરાય, તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…