સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અગરિયાઓની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગરિયાઓને થયેલા આર્થિક નુકસાનનું આકલન કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટીમોએ રણમાં ઝૂંપડે-ઝૂંપડે જઈને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રથમ દિવસે 13 મંડળીના 25 અગરિયાઓના સોલાર પેનલ અને મશીનરીને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોલાર પ્લેટોના વીમા અને ભૌતિક નુકસાન અંગે તપાસ હાથ ધરાઈ છે, જેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે.
આ કુદરતી આફત મુદ્દે રાજકીય નેતાઓ પણ સક્રિય થયા છે. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે કે વીમો ધરાવતા અગરિયાઓને પ્લેટ રિપ્લેસ કરી આપવામાં આવે અને અન્યને પણ વળતર મળે.
બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અગરિયાઓના ખાતામાં સીધી સહાય જમા કરવાની માંગ કરી છે. અંદાજ મુજબ, પાટા દીઠ 200 ટન મીઠું ઓછું પાકવાના કારણે દરેક અગરિયાને 1 થી 1.5 લાખ રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે. સોમવારથી સ્થાનિક તંત્રની વધુ ટીમો રણમાં જઈ મીઠાના પાટા અને ઝૂંપડાઓને થયેલા નુકસાનનો વિગતવાર સર્વે કરશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…