સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અગરિયાઓની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગરિયાઓને થયેલા આર્થિક નુકસાનનું આકલન કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટીમોએ રણમાં ઝૂંપડે-ઝૂંપડે જઈને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રથમ દિવસે 13 મંડળીના 25 અગરિયાઓના સોલાર પેનલ અને મશીનરીને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોલાર પ્લેટોના વીમા અને ભૌતિક નુકસાન અંગે તપાસ હાથ ધરાઈ છે, જેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે.
આ કુદરતી આફત મુદ્દે રાજકીય નેતાઓ પણ સક્રિય થયા છે. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે કે વીમો ધરાવતા અગરિયાઓને પ્લેટ રિપ્લેસ કરી આપવામાં આવે અને અન્યને પણ વળતર મળે.
બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અગરિયાઓના ખાતામાં સીધી સહાય જમા કરવાની માંગ કરી છે. અંદાજ મુજબ, પાટા દીઠ 200 ટન મીઠું ઓછું પાકવાના કારણે દરેક અગરિયાને 1 થી 1.5 લાખ રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે. સોમવારથી સ્થાનિક તંત્રની વધુ ટીમો રણમાં જઈ મીઠાના પાટા અને ઝૂંપડાઓને થયેલા નુકસાનનો વિગતવાર સર્વે કરશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…