સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાજેતરમાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે અગરિયાઓની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અગરિયાઓને થયેલા આર્થિક નુકસાનનું આકલન કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ટીમોએ રણમાં ઝૂંપડે-ઝૂંપડે જઈને સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે.
પ્રથમ દિવસે 13 મંડળીના 25 અગરિયાઓના સોલાર પેનલ અને મશીનરીને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોલાર પ્લેટોના વીમા અને ભૌતિક નુકસાન અંગે તપાસ હાથ ધરાઈ છે, જેનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે.
આ કુદરતી આફત મુદ્દે રાજકીય નેતાઓ પણ સક્રિય થયા છે. દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે કે વીમો ધરાવતા અગરિયાઓને પ્લેટ રિપ્લેસ કરી આપવામાં આવે અને અન્યને પણ વળતર મળે.
બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અગરિયાઓના ખાતામાં સીધી સહાય જમા કરવાની માંગ કરી છે. અંદાજ મુજબ, પાટા દીઠ 200 ટન મીઠું ઓછું પાકવાના કારણે દરેક અગરિયાને 1 થી 1.5 લાખ રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે. સોમવારથી સ્થાનિક તંત્રની વધુ ટીમો રણમાં જઈ મીઠાના પાટા અને ઝૂંપડાઓને થયેલા નુકસાનનો વિગતવાર સર્વે કરશે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…