સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિશેષ સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર અને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આધુનિક સાધનોની મદદથી દિવ્યાંગોની ગતિશીલતા વધશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે.
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અધિકારીઓએ દિવ્યાંગોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સાધનો મળવાથી દિવ્યાંગો હવે શિક્ષણ અને રોજગાર મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી સરળતાથી કરી શકશે. સાધન મેળવ્યા બાદ લાભાર્થીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો. આ પહેલથી દિવ્યાંગો સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકશે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…