Surendranagar

સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના પ્રશ્ને CMOની ટીમનું ચેકિંગ

  • શહેરમાં સીએમઓની ટીમે ૨૨ સ્થળોએ તપાસ કરી
  • સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ
  • આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ
સુરેન્દ્રનગર મનપાના સેનિટેશન વિભાગમાં સફાઈના મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમનું ચેકિંગ હાથ ધરાયું હતું. સીએમ પોર્ટલ પર થયેલી ફરિયાદ મામલે મુખ્યમંત્રી કાર્યાલયની ટીમે ૨૨ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે સેનેટેશન પાછળ સૌથી મોટું બજેટ છતાં યોગ્ય રીતે કામગીરી ન થતી હોવાની ફરિયાદ ઉઠી છે. ગાંધીનગરની ટીમના ચેકિંગ બાદ આગામી દિવોસમાં મનપાના વહિવટમાં ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સેનિટેશન વિભાગની કામગીરી ફરી એકવાર શંકાના દાયરામાં આવી છે. સફાઈ પાછળ કરોડો રૃપિયાના ધુમાડા કરવા છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા, ત્રસ્ત નાગરિકોએ મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પોર્ટલ મારફતે રજૂઆતો કરી હતી. આ ફરિયાદોની ગંભીરતાને ધ્યાને લઈ, સીએમઓ દ્વારા મોકલવામાં આવેલી વિશેષ તપાસ ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના ૨૨ જેટલા એવા સ્થળો છે જ્યાં વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક તંત્રએ સફાઈ કામગીરી કરી ન હતી.
રાત્રિ સફાઈ અને દિવસની કામગીરીના પોકળ દાવાઓ વચ્ચે વાસ્તવિક સ્થિતિ તપાસવા માટે ગાંધીનગરથી આવેલી ટીમોએ સીધું જ ઓન-ધ-સ્પોટ ચેકિંગ શરૃ કર્યું છે. આ કાર્યવાહીને પગલે વર્ષોથી ભ્ર્રષ્ટાચાર અને બેદરકારીમાં ખૂંપેલા સેનિટેશન વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સેનિટેશન વિભાગમાં ભ્રષ્ટાચારની રાવ પહેલાથી જ હતી, ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દખલગીરી બાદ પાલિકાના વહીવટમાં મોટા ઉલટફેર થવાની શક્યતાઓ છે. જો તપાસમાં ક્ષતિઓ જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે આ ઉચ્ચસ્તરીય તપાસ બાદ સુરેન્દ્રનગરને ગંદકીના પ્રશ્નમાંથી કાયમી છુટકારો મળશે.
user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

6 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago