સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર સાડીની સામેના ખાંચામાં આવેલી આ બિલ્ડિંગ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે તે પત્તાના મહેલની જેમ ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ માર્ગ પરથી દરરોજ 1000થી વધુ લોકો પસાર થાય છે, જેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશ રેખાબેન અને અન્ય વેપારીઓના જણાવ્યા અનુસાર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલ ઉનાળાની સિઝન છે, પરંતુ ચોમાસામાં વરસાદી પવનના કારણે આ ઇમારત ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ બિલ્ડિંગ સમયસર ઉતારી લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા તાત્કાલિક સર્વે કરી, માલિકને નોટિસ ફટકારે અને આ જોખમી બાંધકામ દૂર કરે. તંત્રની નિષ્ફળતાને કારણે હાલ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…