સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ, જે સમગ્ર ભારતમાં સિરામિક ઉદ્યોગના હબ તરીકે જાણીતું છે, તે હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. મિડલ ઈસ્ટના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ગેસની અછત સર્જાઈ છે, જેની સીધી અસર થાનગઢના લઘુ અને મધ્યમ ઉદ્યોગો પર પડી છે. હાલની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે થાનગઢમાં આવેલા 300થી વધુ એકમોમાંથી 50થી વધુ કારખાનાઓને તાળા લાગી ગયા છે.
આ સંકટનું મુખ્ય કારણ ગુજરાત ગેસ એજન્સી દ્વારા લેવામાં આવેલો અનિશ્ચિત નિર્ણય છે. 9 માર્ચથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ, ઉદ્યોગકારો 50%ને બદલે 80% ગેસનો વપરાશ કરી શકશે, પરંતુ વધારાના વપરાશ પર ભાવ વધારો લાગુ પડશે. ચિંતાની વાત એ છે કે આ ભાવ વધારો કેટલો હશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગેસના ચોક્કસ ભાવ નક્કી ન હોવાને કારણે ઉદ્યોગકારો ઉત્પાદિત વસ્તુની પડતર કિંમત નક્કી કરી શકતા નથી, જેના પરિણામે ખોટ કરવાને બદલે વેપારીઓએ પ્રોડક્શન બંધ કરી કારખાના બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ મંદીની સૌથી મોટી અસર રોજગારી પર પડી છે. અચાનક 50 કારખાના બંધ થતા અંદાજે 1500થી વધુ કારીગરો રાતોરાત બેરોજગાર બન્યા છે. આ શ્રમિકો હવે પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, થાનગઢમાં દૈનિક 2.80 લાખ કિલો ગેસનો વપરાશ થતો હતો, જે ઉત્પાદન ઠપ થવાના કારણે ઘટીને 2.20 લાખ કિલોએ પહોંચ્યો છે. એટલે કે, માત્ર થોડા દિવસોમાં જ ગેસના વપરાશમાં 60,000 કિલોનો ઘટાડો નોંધાયો છે.
થાનગઢના ઉદ્યોગકારોની માંગ છે કે તંત્ર અને ગેસ એજન્સીઓ વહેલી તકે ગેસના ભાવ જાહેર કરે અને નવી ગાઈડલાઈન સ્પષ્ટ કરે. જો આગામી દિવસોમાં ભાવ અંગેની અનિશ્ચિતતા દૂર નહીં થાય, તો હજુ પણ વધુ એકમો બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. રકાબી, સેનેટરી વેર અને ટાઈલ્સના ઉત્પાદન માટે જાણીતું આ કેન્દ્ર અત્યારે સરકારી સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યું છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…