Surendranagar

જોરાવનગરમાં છેલ્લી ઘડીએ સેવા સેતુ કાર્યક્રમ રદ થતા અરજદારો રજડી પડ્યા, જાણો હવે ક્યારે યોજાશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, જોરાવનગર ખાતેના કોમ્યુનિટી હોલમાં યોજાનાર બીજા તબક્કાનો કાર્યક્રમ અચાનક રદ કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામકાજ છોડીને ભાડું ખર્ચીને અહીં પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓની ગેરહાજરી અને કાર્યક્રમ રદ હોવાની જાણ થતા તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

તંત્ર દ્વારા આ અચાનક ફેરફાર પાછળ પૂરતો સ્ટાફ ન હોવાનું અને વહીવટી તૈયારીઓના અભાવનું કારણ જણાવવામાં આવ્યું છે. આ અંગે ડેપ્યુટી કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે આ સેવા સેતુ કાર્યક્રમ આગામી 20 માર્ચના રોજ તે જ સ્થળે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડની કામગીરી, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર સહાય, આવકના દાખલા અને 7/12 ના ઉતારા જેવી મહત્વની સેવાઓ પૂરી પાડવામાં આવશે. તંત્રની આ લાપરવાહીને કારણે સેંકડો લોકોના સમય અને નાણાંનો વ્યય થયો છે, જેની સામે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે.

user 2

Recent Posts

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…

1 hour ago

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…

1 hour ago

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

1 day ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

1 day ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

1 day ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

1 day ago