Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીઓને તાળા: પગાર વધારાની માંગ સાથે 2710 કર્મચારીઓ હડતાલ પર

સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના 2710 જેટલા કર્મચારીઓ આજથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.

વઢવાણ સહિત તમામ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને કારણે જિલ્લાના અંદાજે 20,000 થી વધુ બાળકોને મળતા પૌષ્ટિક આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર સીધી અસર પડી છે.

આંગણવાડી સંચાલકોની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, વર્ષ 2018 પછી જૂના થયેલા મોબાઈલ ફોનના બદલે નવા સ્માર્ટફોનની ફાળવણી અને વિવિધ બિલોની સમયસર ચુકવણીનો સમાવેશ થાય છે. અગાઉ 15 દિવસમાં 3 વખત આવેદનપત્ર આપવા છતાં આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા બહેનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. શરૂઆતમાં માત્ર ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરાયો હતો, પરંતુ હવે શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આ હડતાલ 3 દિવસની જાહેર કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ શનિવાર, રવિવાર અને તહેવારની રજાઓ આવતી હોવાથી આંગણવાડીઓ સતત 5 દિવસ સુધી બંધ રહેશે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી પોષણ યોજના ખોરવાઈ ગઈ છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે પગાર વધારાનો નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આગામી સમયમાં જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી આંદોલન વધુ તેજ બનાવવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago