લોક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પોલીસ તંત્ર દ્વારા સાયલામાં એક વિશેષ ‘અરજી મેળો’ યોજવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના DYSP વિશાલ રબારીની ઉપસ્થિતિમાં સાયલા અને ધજાળા પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ મેળામાં કુલ 11 જેટલા અરજદારોએ પોતાની પડતર સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી, જેમાં વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ગૌચર જમીન પરના દબાણો જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
DYSP વિશાલ રબારીએ તમામ અરજદારોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને જે-તે પોલીસ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. ખાસ કરીને વ્યાજખોરીના મામલે તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હેરાનગતિનો ભોગ બને તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે.
પોલીસ તંત્ર આવા ગુનેગારો સામે કડક હાથે કામ લેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ સુખદ નિરાકરણ લાવવાનો છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…