વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવ અંગે માહિતી આપવા માટે આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા અને પરમ પૂજ્ય કોઠારી મુકુંદરામદાસજીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કથામાં વિશ્વવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) વ્યાસપીઠ પર બિરાજી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દૂર-દૂરથી આવતા હજારો ભક્તોની સુવિધા માટે કોઠારીયા ધામ ખાતે વિશાળ કથા મંડપ અને ભોજન શાળાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાલમાં આ મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…