વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવ અંગે માહિતી આપવા માટે આયોજકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા અને પરમ પૂજ્ય કોઠારી મુકુંદરામદાસજીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કથામાં વિશ્વવિખ્યાત કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) વ્યાસપીઠ પર બિરાજી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દૂર-દૂરથી આવતા હજારો ભક્તોની સુવિધા માટે કોઠારીયા ધામ ખાતે વિશાળ કથા મંડપ અને ભોજન શાળાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાલમાં આ મહોત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…