સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનાર મતદાન અને 28 એપ્રિલના રોજ થનારી મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે.
જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરવાનાધારકોએ પોતાના હથિયારો તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશન અથવા માન્ય આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. ખાસ કરીને થાનગઢ નગરપાલિકા વિસ્તારના રહીશોએ આ નિયમનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
જોકે, બેંક સુરક્ષા ગાર્ડ અને ફરજ પરના પોલીસ અધિકારીઓને આમાંથી મુક્તિ અપાઈ છે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…