સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનાર મતદાન અને 28 એપ્રિલના રોજ થનારી મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે.
જાહેરનામા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પરવાનાધારકોએ પોતાના હથિયારો તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશન અથવા માન્ય આર્મ્સ ડીલર પાસે જમા કરાવવાના રહેશે. ખાસ કરીને થાનગઢ નગરપાલિકા વિસ્તારના રહીશોએ આ નિયમનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
જોકે, બેંક સુરક્ષા ગાર્ડ અને ફરજ પરના પોલીસ અધિકારીઓને આમાંથી મુક્તિ અપાઈ છે. આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…