સાયલા તાલુકાના સુદામડા ગામમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર પથ્થર ખનન મામલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. થોડા દિવસો પૂર્વે સાયલા પોલીસે દરોડો પાડીને 5 જેટલી ગેરકાયદેસર ખાણોમાંથી 14 મશીનો અને 38 ડમ્પરો જપ્ત કર્યા હતા.
આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મશીન માલિકો અને ઓપરેટરોના નિવેદન નોંધતા આ ખનન પાછળ સક્રિય મુખ્ય સૂત્રધારોના નામ બહાર આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે સર્વે નંબર 1494 અને 1496 માં ચાલતી ખાણોમાં રાજાભાઈ રવુભાઈ ખાચર અને શિવરાજભાઈ હાથીભાઈ ખાચર દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હતું. જ્યારે અન્ય ત્રણ ખાણોમાં રામાભાઈ શામળાભાઈ સાંબડ દ્વારા મોટા પાયે ખનન પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનું નિવેદનોમાં ખુલ્યું છે.
આ ઉપરાંત ‘ઓમ ક્વોરી’ નામે ચાલતી પાંચમી ખાણ સહિત તમામ સ્થળોના સર્વે નંબરના માલિકો અને વહીવટકર્તાઓ સામે પણ તપાસનો ગાળિયો કસાયો છે. ખનીજ વિભાગ હવે આ ચોરી કરેલા પથ્થરો કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા તે દિશામાં કાર્યવાહી કરી રહ્યું છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…