સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા પોલીસની ટીમે વહેલી સવારે ચોરવીરા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનન અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશમાં સાયલા પંથકમાં આ બીજો મોટો દરોડો છે.
દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ સક્રિય કાર્બોસેલ કુવા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે 40 મેટ્રિક ટન ખનીજનો જથ્થો, એક ટ્રેક્ટર, બકેટ, લોખંડના પાઈપ અને ખનન માટે વપરાતું કમ્પ્રેશર સહિતના સાધનો કબજે કર્યા છે. પોલીસના આગમનની જાણ થતા જ ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને પણ આ અંગે જાણ કરવા તજવીજ હાથ ધરી છે.
આ ગેરકાયદે ખનન નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે અને તેની પાછળ કયા તત્વો જવાબદાર છે, તે દિશામાં સાયલા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી રોકવા માટે પોલીસ વડાની સૂચનાથી આકસ્મિક ચેકિંગનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…