સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખીને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 28-04-2026 સુધી જિલ્લાના તમામ સરકારી અતિથિ ગૃહો અને વિશ્રામ ગૃહોના રાજકીય વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી લેવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો ચૂંટણી પ્રચાર અથવા મીટિંગો માટે સરકારી સર્કિટ હાઉસ, ડાક બંગલા કે સરકારી રહેણાંકોનો ઉપયોગ કરી શકશે નહીં.
આ ઉપરાંત, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા કોઈપણ મહાનુભાવને આ સ્થળોએ રૂમ ફાળવવામાં આવશે નહીં. સરકારી મિલકતોના કમ્પાઉન્ડમાં ચૂંટણીલક્ષી વાહનોના પાર્કિંગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…