સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખીને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી 28-04-2026 સુધી જિલ્લાના તમામ સરકારી અતિથિ ગૃહો અને વિશ્રામ ગૃહોના રાજકીય વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી લેવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો ચૂંટણી પ્રચાર અથવા મીટિંગો માટે સરકારી સર્કિટ હાઉસ, ડાક બંગલા કે સરકારી રહેણાંકોનો ઉપયોગ કરી શકશે નહીં.
આ ઉપરાંત, મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા કોઈપણ મહાનુભાવને આ સ્થળોએ રૂમ ફાળવવામાં આવશે નહીં. સરકારી મિલકતોના કમ્પાઉન્ડમાં ચૂંટણીલક્ષી વાહનોના પાર્કિંગ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…