સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ નવા નિયમો મુજબ, ઉમેદવારી પત્રો ભરતી વખતે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં માત્ર 3 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયમ રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો બંનેને સમાન રીતે લાગુ પડશે.
જો વધુ ટેકેદારોની હાજરી જરૂરી હોય, તો જૂના સભ્યો બહાર નીકળ્યા બાદ જ અન્ય વ્યક્તિઓ પ્રવેશ મેળવી શકશે. આ નિયંત્રણો 6 એપ્રિલ, 2026થી 11 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ કડક પગલાં લેવામાં આવશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…