સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ નવા નિયમો મુજબ, ઉમેદવારી પત્રો ભરતી વખતે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં માત્ર 3 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયમ રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો બંનેને સમાન રીતે લાગુ પડશે.
જો વધુ ટેકેદારોની હાજરી જરૂરી હોય, તો જૂના સભ્યો બહાર નીકળ્યા બાદ જ અન્ય વ્યક્તિઓ પ્રવેશ મેળવી શકશે. આ નિયંત્રણો 6 એપ્રિલ, 2026થી 11 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ કડક પગલાં લેવામાં આવશે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…