Subscribe for notification
Categories: Surendranagar

રતનપરમાં ખુલ્લી ડ્રેનેજથી રોગચાળો ફાટી નીકળ્યો: મેલેરિયાના કેસો વધતા રહીશોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની નબળી કામગીરીને કારણે રતનપર વિસ્તારમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. રતનપરના ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા વણકરવાસ વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લી ડ્રેનેજ અને ગંદકીના ગંજ જામ્યા છે.

વરવી વાસ્તવિકતા એ છે કે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા આ ખુલ્લી ગટરોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, પરિણામે સમગ્ર વિસ્તારમાં મેલેરિયા, શરદી, ઉધરસ અને તાવ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અંદાજિત 50થી વધુ મકાનો આવેલા છે, જ્યાં રહીશો માટે અસહ્ય દુર્ગંધ વચ્ચે જીવવું મુશ્કેલ બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા સેનિટેશન પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં રતનપર જેવા ગીચ વિસ્તારોમાં સફાઈ કામગીરી શૂન્ય જોવા મળી રહી છે.

ભેજવાળા વાતાવરણ અને મચ્છરોના પ્રજનનને કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. લોકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે.

વણકરવાસના રહીશોએ માંગ કરી છે કે આ ખુલ્લી ડ્રેનેજની તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાઈપ લાઈન નાખી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. ગંદકી અને દુર્ગંધના કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ સફાઈના દાવા કરવામાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે ક્યારે એક્શન લે છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago